દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવના સુચારૂ આયોજન અંગે બેઠક મળી

0

દ્વારકા ખાતે ૧૯ ઓગસ્ટના જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે. કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય ત્યારે ટ્રાફિક સમસ્યા ના સર્જાઈ, વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા, હેલ્પ ડેસ્ક ઉભા કરવા સહિતની બાબતો ઉપર યોગ્ય ધ્યાન આપવા જણાવાયું હતું. આ ઉપરાંત હાલમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખી લોકોએ માસ્ક, સેનેટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા લોકોને અપીલ કરી છે. આ બેઠકમાં દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, જિલ્લા વીકાસ અધિકારી ડી.જે. જાડેજા, અધિક નિવાસી કલેકટર કે.એમ.જાની, ડીવાયએસપી ચૌધરી, ડીવાયએસપી સારડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!