આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર : ભોળાનાથને રીઝવતા ભાવિકો

0

દેવાધિદેવ ભગવાન ભોળાનાથની આરાધનામાં લીન બનવાનો અવસર એટલે શ્રાવણ માસ અને તેમાં પણ ખાસ કરીને સોમવાર એટલે શ્રેષ્ઠ દિવસ. આજે શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે દેશનાં ૧ર જર્યોતિલીંગ પૈકીનાં એક સોમનાથ મહાદેવ મંદિર ખાતે દાદાને બોરસલીનો શણગાર કરવામાં આવેલ છે. જયારે જૂનાગઢ અને સોરઠ પંથકમાં આવેલા શિવ મંદિરોમાં સવારથી જ શિવજીની મહાપુજાનાં કાર્યક્રમો યોજાઈ રહયા છે. શાસ્ત્રોકત વિધિ સાથે શિવજીની આરાધના કરવામાં આવી રહી છે. હર હર મહાદેવનાં નાદ આજે શિવ મંદિરોમાં ગુંજી રહયા છે. મન તું શંકર ભજી લે નાં નાદો સર્વત્ર ગુંજી રહયા છે.

error: Content is protected !!