ખંભાળિયા નજીક કારની અડફેટે બે ગૌવંશ : એક ગાયનું કરૂણ મૃત્યું

0

ખંભાળિયા-દ્વારકા માર્ગ ઉપર ગત રાત્રે એક કારના ચાલક દ્વારા બે ગાયને અડફેટે લેવામાં આવી હતી. જે પૈકી એક ગાયનું કરૂણ મૃત્યું નીપજ્યું હતું. આ સમગ્ર બનાવવા અંગે જાણવા માટે વિગત મુજબ ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ ઉપર અત્રેથી આશરે સોળ કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસેના માર્ગ ઉપર પસાર થતી બે ગાયને એક મોટરકારના ચાલકે ઠોકરે લીધી હતી. આ અકસ્માતમાં બે પૈકી એક ગાયનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યું નીપજ્યું હતું. જ્યારે અન્ય એક ગાય લોહી લુહાણ હાલતમાં હોવાથી આ અંગે અહીં જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ગ્રુપના કાર્યકરોને જાણ કરવામાં આવતા ગ્રુપના દેશુરભાઈ ધમા સહિતના યુવાનો ઉપરાંત પશુપાલન અધિકારી અતુલ પટેલ પણ આ સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કામગીરી કરી હતી. અત્રે ઉલ્લેખની હશે કે, નજીકના આશ્રમની બે ગાય આ અકસ્માતનો ભોગ બની હતી. આ સ્થળે એક સપ્તાહમાં ગૌવંશના અકસ્માતનો બીજાે બનાવ બનતા ગૌ પ્રેમીઓમાં ચિંતાની લાગણી જાેવા મળી હતી.

error: Content is protected !!