લઠ્ઠાકાંડનાં સૂત્રધાર અને બ્રાહ્મણોને રંજાડનાર બેટદ્વારકા દેવસ્થાન સમિતિનાં ઉપાધ્યક્ષ સમીર પટેલને હોદા ઉપરથી દુર કરવા બ્રહ્મસમાજની માંગ

0

તાજેતરમાં ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડમાં જેનું નામ ખુલેલ અને હાલમાં નાસતા-ફરતા સૂત્રધાર અને બેટદ્વારકા દેવસ્થાન સમિતિનાં ઉપાધ્યક્ષનો મહત્વનો હોદો ધારણ કરતા સમીર પટેલને તાત્કાલીક અસરથી બેટદ્વારકા દેવસ્થાન સમિતિનાં ઉપાધ્યક્ષ પદેથી દુર કરવા બેટદ્વારકા ધર્મ રક્ષા સમિતિ દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ છે. થોડા સમય પહેલા સમીર પટેલ દ્વારા બ્રાહ્મણો માટે જાહેરમાં અપશબ્દ બોલાયા હતા અને બ્રાહ્મણો ચોર છે તેવું બોલ્યા હતા. તેઓનાં આવા અપશબ્દોથી સમસ્ત બ્રહ્મસમાજ રોષે ભરાયેલ અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ પરંતુ સમીર પટેલની સામે કોઈ પગલા લેવાયા નહી. ત્યારે સમીર પટેલ બેટદ્વારકાધીશ મંદિરમાં પણ પોતાની જાેહુકમી ચલાવે છે અને વર્ષોથી બ્રાહ્મણોને રંજાડે છે. ત્યારે દ્વારકાધીશ ચોક્કસ ન્યાય કરે જ છે એટલે સમીર પટેલ લઠ્ઠાકાંડનાં આરોપી તરીકે હાલ ભાગેડું છે. આવા નિમ્ન પ્રવૃતિવાળા વ્યકિતને દેવસ્થાન સમિતિનાં ટ્રસ્ટી કે ઉપાધ્યક્ષપદે રહેવાનો કોઈ અધિકાર નથી માટે બેટદ્વારકાધીશ દેવસ્થાન સમિતિનાં ઉપાધ્યક્ષપદેથી તાત્કાલીક અસરથી સમીર પટેલને દુર કરવા બેટદ્વારકા ધર્મ રક્ષા સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ છે.

error: Content is protected !!