શ્રાવણના અંતિમ સોમવારે ખંભાળિયાના વિવિધ શિવ મંદિરોમાં ઘીની મહાપૂજાના ભવ્ય દર્શન યોજાયા

0

વિશ્વભરમાં ખંભાળિયા શહેરના શિવાલયો ઘીની મહાપૂજા માટે વિખ્યાત છે. અહીંના વિવિધ પ્રાચીન મંદિરોમાં ભગવાન શિવની ઘીની મહાપૂજાના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શિવ ભક્તો લ્યે છે. ખંભાળિયાના પુરાણ પ્રસિદ્ધ ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, પાળેશ્વર મહાદેવ, શરણેશ્વર મહાદેવ વિગેરે શિવ મંદિરોમાં ગઈકાલે શ્રાવણ માસના અંતિમ સોમવારે ઘીની મહાપૂજા સાથેના વિવિધ દર્શન યોજવામાં આવ્યા હતા. ખામનાથ મહાદેવના મંદિરે કૈલાશ પર્વત તથા મહાદેવની ભવ્ય ઘીની મહાપૂજાના દર્શનમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત અહીંના જાણીતા જડેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, વિદ્યાશંકર મહાદેવ, ભોળેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ, જલારામ મંદિર પરિસરમાં આવેલા રામેશ્વર મહાદેવ વિગેરે શિવાલયોમાં વિશિષ્ટ પૂજાના દર્શન યોજાયા હતા. ગ્રામ્ય પંથકના જાણીતા બજાણાના કાશી વિશ્વનાથ મહાદેવ, દાત્રાણા ગામના દંતેશ્વર મહાદેવ, વડત્રામાં ધીંગેશ્વર મહાદેવ, કોટા ગામે કોટેશ્વર મહાદેવ વિગેરે સ્થળોએ પણ શિવભક્તોની ભીડ જાેવા મળી હતી. શ્રાવણ માસની અમાસ નિમિત્તે ખામનાથ મહાદેવના મંદિરે માર્કન્ડેય ઋષિની મહાપૂજાના દર્શન યોજાશે.

error: Content is protected !!