વેરાવળમાં વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલી નવકાર મંત્રના જાપ કર્યા

0

પર્યુષણ પર્વ ચાલી રહ્યુ છે ત્યારે દેશભરમાં જૈન સમાજ દ્વારા સમાજના રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુની મહારાજ સાહેબ દ્વારા વિશ્વ શાંતિ અને આત્મ કલ્યાણ અર્થે મ ગુરૂ પુષ્ય નક્ષત્રના યોગ ઉપર પંચ ઉપર મેષ્ઠી ઉર્જા જપ સાધના કાર્યક્રમ અંતર્ગત ૫ કરોડ મહાપ્રભાવક શ્રી નવકાર મંત્રના જાપ કરાવવાનું આયોજન કરેલ હતુ. જેમાં ગઈકાલે દેશભરની શાળાઓ સાથે સાથે વેરાવળ- સોમનાથની જે.પી. પ્રાથમિક શાળા, સરસ્વતી વિદ્યાલય, ઘી વાળા સ્કુલ, શિશુ મંદિર પ્રાથમિક શાળાના એક હજાર બાળકો અને શિક્ષકો વર્ચ્યુઅલી ઓનલાઈન જાેડાયા હતા. તમામ વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલી નવકાર મંત્રના જાપ કર્યા હતા. જેમાં ચારેય શાળાના ટ્રસ્ટીઓ ઝવેરીભાઈ ઠકરાર, જયકરભાઈ ચોટાઈ, ગીરીશભાઈ કારીયા, રમેશભાઈ ચોપડકરના સહયોગથી વિદ્યાર્થીઓ જાેડાયા હતા. આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્ર સંત નમ્રમુની મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ વેરાવળ દ્વારા કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!