જૂનાગઢનાં ૪ પીઆઈની થયેલ બદલી

0

રાજયનાં મુખ્ય પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા રાજયનાં પ૦ પીઆઈની બદલીનાં હુકમો જારી કરવામાં આવેલ છે. જે અંતર્ગત જૂનાગઢમાં ફરજ બજાવતાં શ્રીમતી જે.પી. વરીયાને જીઈબીમાં મુકવામાં આવેલ છે. આ ઉપરાંત પીટીસી ખાતે ફરજ બજાવતા કે.એસ. ચાવડાને અરવલી તેમજ બી.ડી. ચૌધરીને પાટણ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત જૂનાગઢ ખાતે ફરજ બજાવતાં કે.ડી. કરમટાને ગીર સોમનાથ મુકવામાં આવેલ છે.

error: Content is protected !!