૧ સપ્ટેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી રોપ-વેમાં ૧૦૦ ટકા ઓનલાઇન બુકીંગ

0

જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર માં અંબાજી સુધી ચાલતા રોપ-વેમાં ૧ સપ્ટેમ્બરથી ૧૦૦ ટકા ઓનલાઇન બુકીંગ કરવામાં આવશે. ખાસ કરીને દિવાળીના તહેવારને લઇ આ ર્નિણય કરાયો છે. આ અંગે ઉષાબ્રેકો કંપની સંચાલિત ઉડન ખટોલા-રોપ-વેના રિઝીયોનલ હેડ દિપક કપલીસે જણાવ્યું હતું કે, રોપ-વેની દૈનિક ક્ષમતા મર્યાદિત છે જ્યારે દિવાળી જેવા તહેવારોમાં હજ્જારો પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે તેમને ટિકીટ માટે કલાકો સુધી લાઇનમાં ઉભવુું પડતું હતું. જ્યારે કેટલાયને રોપ-વેની સફર માણ્યા વિના જ નિરાશ થઇ પરત ફરવું પડતું હતું. ત્યારે અનેક પ્રવાસીઓએ છેલ્લી ૨ દિવાળીના વેકેશનમાં રોપ-વે રાઇડ માટે માત્ર ઓનલાઇન બુકીંગ રાખવા સૂચન કર્યું હતું. ત્યારે પ્રવાસીઓના સૂચન મુજબ ગિરનાર રોપ-વેએ પોતાની વેબસાઇટ અપડેટ કરી છે. પરિણામે હવે ૧ સપ્ટેમ્બરથી દિવાળી વેકેશન માટે ગિરનાર રોપ-વેમાં ૧૦૦ ટકા ઓનલાઇન બુકીંગની સુવિધા માટે વ્યવસ્થા કરી છે. પરિણામે હવે પ્રવાસીઓ ઘરેથી આરામથી ટિકીટ બુક કરી શકશે જેથી લાઇનમાં ઉભવામાંથી છૂટકારો મળતા સમયની બચત થશે, રાઇડ મળવાની અનિશ્ચિતતાનો સામનો કરવો નહિ પડે અને સમયની ખબર પડી જતા બાકીના સમયમાં ક્યાં જવું તેનું પણ આયોજન કરી શકશે. પ્રવાસીઓ પોતાની ઇચ્છિત તારીખ અને સમયનો સ્લોટ પસંદ કરી શકશે. આ માટે ુુુ.ેઙ્ઘટ્ઠહારટ્ર્ઠંઙ્મટ્ઠ.ર્ષ્ઠદ્બ વેબસાઇટ ઉપર ઓનલાઇન બુકીંગ કરાવી શકશે. હાલ ૩૦ નવેમ્બર સુધી ૧૦૦ ટકા ઓનલાઇન બુકીંગ કરી શકાશે. રોપ-વેનું દિવાળી વેકેશનમાં ૧૦૦ ટકા ઓનલાઇન બુકીંગ કરાયું છેે ત્યારે ૧ સપ્ટેમ્બરથી બુકીંગ શરૂ થઇ જશે. વેબસાઇટ ઉપર બુકીંગ કર્યા બાદ પેમેન્ટની ચૂકવણી માટે યુપીઆઇ, ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ અથવા નેટબેન્કીંગ પસંદ કરી તમારા ઇમેલ ઉપર રિપ્લાય મેળવી શકશો.

error: Content is protected !!