સોરઠ પંથકનાં શિવાલયો કેવડા ત્રીજે કેવડામય બન્યા

0

શિવ પુરાણમાં જેનો મહિમા વર્ણવાયો છે તેવા ભાદરવા સુદ ત્રીજ-કેવડા ત્રીજે સોમનાથનાં શિવાલયો-કેવડામય બન્યા છે. ભાવિક બહેનોએ આજે પુષ્પને બદલે માત્ર કેવડાનાં પાન સદાશિવને ચઢાવી શ્રધ્ધા-ભકિત વ્યકત કરી હતી. વહેલી સવારથી બપોર સુધી બહેનો પૂજાપાના થાળ, અબીલ, ગુલાલ, દુધ, મધ અને દિપ સાથે સદાશિવનું ધ્યાન ધરી કેવડાનાં પાન ચઢાવી ભકિત અભિવ્યકિત કરી હતી. એમ કહેવાય છે કે, આ વ્રત કરવાથી સદભાગ્ય, સુખ, શાંતિની પ્રાપ્તિ થાય છે.

error: Content is protected !!