પ્રાચીન ભારતીન ઋષી સંસ્કૃતિ પ્રમાણેની જીવન પધ્ધતિ શીખવતી સિધ્ધ સમાધિ યોગ શિબિર રાજકોટમાં યોજાશે

0

રાજકોટમાં ઋષિ સંસ્કૃતિ વિદ્યા કેન્દ્ર, બેંગ્લોર દ્વારા આયોજીત શારિરીક, માનસિક, આર્થિક, આધ્યાત્મિક અને સર્વાંગિક વિકાસ અંગે ‘ઉમા સદન’, જે.કે. ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે તા.૩-૯-ર૦રરથી તા.૧૧-૯-ર૦રર સુધી સિધ્ધ સમાધિ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આપણી પ્રાંચીન સંસ્કૃતિમાં પંચકોષ અને તેની શુધ્ધી કરવાની પ્રક્રિયાની વાત આવે છે જેનાં દ્વારા શારિરીક સ્વાસ્થ્ય, માનસિક સંતુલન અને સમજણમાં વિધેયાત્મક પરિવર્તન આવે છે અને વ્યકિત વિના કારણ આનંદમાં રહે છે. જે બાબત સિધ્ધ સમાધિયોગ એટલે એસ.એસ.વાય. શિબિર દ્વારા અનુભવાય છે. આ પ્રોગ્રામમાં જાેડાવા માટે પ્રોગ્રામ અંગે વિગતવાર માહિતી આપતું નિઃશુલ્ક ઈન્ટ્રોડકશન ‘ઉમા સદન’, જે.કે. ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે તા.૩-૯-ર૦રર સવારનાં ૮ કલાકે તથા બીજું ઈન્ટ્રોડકશન સાંજે ૭ કલાકે રાખેલ છે. આ શિબિરમાં ભાગ લેવા માટે ધર્મેશ તુવાર(મો.૯૪ર૮૦૧૧૯૧પ)નો સંપર્ક કરવા ડો. બિનેશ પતાણીની યાદીમાં જણાવાયું
છે.

error: Content is protected !!