સહજાનંદસ્વામી ગુરૂકુલ વંથલીમાં ગણેશોત્સવનો પ્રારંભ

0

વંથલી સહજાનંદસ્વામી ગુરૂકુલ દ્વારા ગણેશજીની વિશાળ કદની મુર્તિ સ્થાપીત કરી શહેરનાં માર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળી હતી. તથા ગુરૂકુલ ખાતે ગણેશોત્સવનો પ્રારંભ કરાયો છે તેમ કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપ સ્વામીએ જણાવ્યું છે. આ ગણેશોત્સવ ગુરૂ દેવપ્રસાદસ્વામીનાં આર્શિવાદથી શરૂ થયો છે. જેમાં ગુરૂકુલનાં ૧પ૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહથી જાેડાયા છે. તથા સમગ્ર મંદિરનાં સંતો-મહંતો અને શહેર તથા આજુબાજુના ભકતજનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રથમ દિવસે જ મહાઆરતી, મહાપ્રસાદ યોજાયો હતો. જેમાં ઘણા ભકતોએ લાભ લીધો હતો. તેમજ દરરોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં અનેક ભકતજનો પધારશે.

error: Content is protected !!