શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભાદરવા સુદ એકાદશી પર્વ પ્રસંગે શ્રી જલજીલણી મહોત્સવ ભાવપૂર્વક ઉજવાયો

0

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે ભાદરવા સુદ એકાદશી પર્વ પ્રસંગે શ્રી જલજીલણી મહોત્સવ ભાવપૂર્વક યોજવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવાયેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો ભકતજનોની મનોકામના પૂર્ણ કરે છે તેવા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે મુખ્ય કોઠારી શ્રી પ્રેમસ્વરૂપદાસજી સ્વામિ, ચેરમેન દેવનંદનદાસજી સ્વામિ તેમજ કોઠારી સ્વામિ પીપી સ્વામિ સહિતનાં સંતોનાં માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીપતિ પૂજય આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજની કૃપાથી આજે જલજીલણી મહોત્સવ યોજવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં ઠાકોરજીને નૌકા વિહાર કરાયું હતું અને આ તકે સંતો, હરિભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!