ધોરાજી-જૂનાગઢના દિગંબર સાધુ આહવાન અખાડાના લાલુગીરીજી મહારાજએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આનંદ સાગર સ્વામી સામે ભારે આક્રોશ ઠાલવ્યો

0

ધોરાજી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા તેમજ ગુરૂકૃપા સન્યાસ આશ્રમ જૂનાગઢ ભવનાથના મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આનંદ સાગર સ્વામીએ ભગવાન શિવજી વિષે જે પ્રકારે પોતાના ગુરૂનો મહિમા વધારવા માટે ખોટી દંત કથા ઊભી કરીને ભગવાન મહાદેવનું અપમાન કર્યું છે તે બાબતે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવેલ કે, સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રબોધ સ્વામીના અનુયાયી આનંદ સાગર સ્વામી પોતાના મંચ ઉપરથી જે પ્રકારે ભગવાન શંકરના ગુણ ગાન ગાવાના બદલે પોતાના ગુરૂના વખાણ કરવા ભગવાનની દંત કથા ઊભી કરી જે પ્રકારે વાણી વિલાસ કર્યો છે તે હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે અને આનંદ સાગર તો હિન્દુ ધર્મનો વિરોધી છે હિન્દુ ધર્મનો અપરાધી છો અને તે જે પ્રકારે વાણી વિલાસ કરી છે તે ભગવાને પણ લજાવી છે. જેથી સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરૂઓ તાત્કાલિક અસરથી આનંદ સાગરને હિન્દુ ધર્મમાંથી તેને બહાર ફેંકી દે આવા વિધર્મી લોકોને હિન્દુ ધર્મની રક્ષા માટે કામના નથી. તાત્કાલિક અસરથી તેમને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સસ્પેન્ડ કરવા જાેઈએ તેવી માંગણી સાધુ સમાજ વતી મુકી હતી. શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવેલ કે, ભગવાન શંકર દેવોના દેવ છે મહાદેવ છે આવા આનંદ સાગર સ્વામીએ જે પ્રકારે હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે ત્યારે હું તેને કહું છું કે, આનંદ સાગર આ મહાદેવ તારા બાપનો બાપ છે તને દંડ મળવો જાેઈએ અને તારા તાત્કાલિક ભગવા કપડા ઉતારી લેવા જાેઈએ. જાે આ પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાય નહીં કરે તો અમારો સાધુ સમાજ સાંખી નહીં લ્યે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો આ પ્રકારે જાહેરમાં દેવી-દેવતાઓનો અપમાન કરતા જાેવા મળે છે ત્યારે આ બાબતની દિગંબર લાલુગીરીજી મહારાજ સમક્ષ પત્રકારોએ વાત કરતાતેઓએ જણાવેલ કે, સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ ખરાબ નથી તાજેતરમાં જ જૂનાગઢ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયે સાધુ સમાજની મોટી મીટીંગ ધર્મસભા લીધી હતી. બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય સમગ્ર વિશ્વમાં છવાઈ ગયો છે અને ખૂબ જ નામના અને કીર્તિ મેળવી છે ત્યારે સંપ્રદાય કોઈ ખરાબ નથી પરંતુ જે પ્રકારે હરિધામ સોખડા ધર્મના સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રબોધ સ્વામીના અનુયાય આનંદ સાગર સ્વામીએ જે પ્રકારે હિન્દુ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે તેનો અમે વિરોધ કર્યો છે. સંપ્રદાય બાબતે અમે કોઈ વિરોધ નથી કરતા અને આવા લેભાગુ સંતોની સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જાેઈએ એ અમારી માંગણી છે.

error: Content is protected !!