જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિરે પુનમની ભાવભેર ઉજવણી

0

જૂનાગઢ જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે વહેલી સવારથી પુનમની ઉજવણી કરવામાં આવી રહી છે. ચેરમેન દેવનંદનદાસજી અને કોઠારી પ્રેમસ્વરૂપદાસજી તેમજ પી.પી. સ્વામીનાં માર્ગદર્શન હેઠળ સવારથી જ પુનમની ઉજવણી કરવામાં આવી રહી છે. અને હરીભકતો ભાવિકો ઉમટી પડયા છે.
જેમાં આજે સિધ્ધેશ્વર મહાદેવનો તેમજ સ્થાપિત દેવોનો અભિષેક કરવામાં આવેલ અને મહાપુજા, આરતી અને ધ્વજારોહણ કરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન સ્વામીનારાયણનાં હસ્તે આ મંદિરમાં પ્રતિષ્ઠીત કરાયેલ સિધ્ધેશ્વર મહાદેવ પ્રત્યે લોકો અનેરી શ્રધ્ધા અને ભાવથી જાેડાય દેશ-વિદેશથી લોકો પુનમ ભરવા માટે આવે છે. અને આ પ્રતાપી મૂર્તિ આજે પણ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. આમ આજ સવારથી જ મંદિર ખાતે દર્શનાર્થે ભાવિકો ઉમટી પડયા હતાં. અને લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે કોઠારી પ્રેમસ્વરૂપદાસજી તેમજ પી.પી. સ્વામી, કુંજસ્વામી, ધર્મકિશોર સ્વામી સહિતનાં સંતો, હરિભકતોએ ખડેપગે વ્યવસ્થા જાળવી હતી.

error: Content is protected !!