માંગરોળ : દિગ્વિજય યુવા સંવાદ દિવસ કાર્યક્રમ યોજાયો

0

સ્વામી વિવેકાનંદ દ્વારા અમેરિકાના શીકાગોમાં ૧૧ સપટેમબર ૧૮૯૩ના રોજ ધર્મ સંમેલનમાં ભારતની વસુધેવ કુટુંબકમને યથાર્થ કરતું પોતાનું વક્તવ્ય આપ્યું હતું. તેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અંતર્ગત દિગ્વિજય યુવા સંવાદ દિવસનો કાર્યક્રમ તમામ જિલ્લા અને તાલુકામાં યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ અધ્યક્ષ કૌશલભાઇ દવેની સુચનાથી અને ઝોન સંયોજક વનરાજભાઇ સુત્રેજા તથા જીલ્લા સંયોજક મેહુલભાઇ જાનીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલાના માંગરોળ નગર અને તાલુકા સંયુક્ત ઉપક્રમે દિગ્વિજય યુવા સંવાદ દિવસ કાર્યક્રમ કલયાણધામ, રહીજ ગામે યોજાયો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા, તાલુકા પંચાયત પ્રમુખ જેઠાભાઇ ચુડાસમા, જીલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ પ્રકાશભાઇ રાઠોડ, તાલુકા મહામંત્રી દાનાભાઈ ખાંભલા, પરબતભાઇ જાેટવા, યુવા મોરચો માંગરોળ શહેર પ્રમુખ ભગીરથસીંહ ચુડાસમા, તાલુકા પંચાયત સભ્ય બાલુભાઈ કોડિયાતર, કિસાન મોરચાના પ્રમુખ સુદાભાઈ કોડિયાતર, યુપીથી આવેલ માંગરોળ વિધાનસભા પ્રચારક ભરતસીંહ તોમર, પરબતભાઇ મેવાડા, ગોવીંદભાઇ ગોહિલ, નાથાભાઇ નંદાણીયા, અરજનભાઈ આંત્રોલિયા, પ્રતાપસીંહ તથા તમામ મોરચાના ટીમ પ્રમુખ, મહામંત્રી તથા આજુબાજુના ગામના આગેવાનો જાેડાયા હતા. જેમાં અંદાજીત ૧૦૦ની આસપાસ સંખ્યા હાજર રહી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના તાલુકા તથા નગરના સંયોજક વિપુલભાઇ પરમાર, સાજણભાઇ કોડિયાતર, રાકેશભાઇ યોગાનંદી, ભાર્ગવ જાેષી, ઉરમીલ સાગઠિયાએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!