દ્વારકા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું નિધન, આજે સાંજે નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ અપાશે

0

જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું ૯૯ વર્ષની આયુએ નિધન થયું છે. તેમને મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં ગઈકાલે રવિવારે બપોરે સાડા ત્રણ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. સ્વામી શંકરાચાર્ય લાંબા સમયથી બીમાર હતા. સ્વામી શંકરાચાર્ય આઝાદીની લડાઈમાં જેલ પણ ગયા હતા. તો તેમને રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી. શંકરાચાર્યના શિષ્ય બ્રહ્મ વિદ્યાનંદે જણાવ્યું કે, સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીને આજે સોમવારે સાંજે ૫ વાગ્યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે. ત્રીજના દિવસ જન્મદિવસ મનાવ્યો હતો. જગદગુરૂ શંકરાચાર્ય શ્રીસ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી બે મઠ(દ્વારકા અને જ્યોર્તિમઠ)ના શંકરાચાર્ય છે. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો જન્મ સિવની જિલ્લાના જબલપુરની પાસે દિઘોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. માત્ર નવ વર્ષની ઉંમરે તેમને ઘર છોડીને ધર્મ યાત્રા શરૂ કરી હતી. આ દરમ્યાન તેઓ ઉત્તરપ્રદેશના કાશી પહોંચ્યા અને જ્યાં તેમને બ્રહ્મલીન શ્રીસ્વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ વેદાંગ, શાસ્ત્રોનું શિક્ષણ લીધું. વર્ષ ૧૯૪૨ ના સમયગાળામાં તેઓ માત્ર ૧૯ વર્ષના હતા ત્યારે ક્રાંતિકારી સાધુ તરીકે પ્રસિદ્ધ થયા હતા, કેમ કે તે સમયે દેશમાં અંગ્રેજાેના શાસનમાંથી આઝાદ થવાની લડાઈ ચાલી રહી હતી. શંકરાચાર્યજીના ૯૯માં જન્મદિવસની ઉજવણી હરિયાળી તીજના દિવસે કરવામાં આવી હતી. ૧૯૫૦ માં દંડ દીક્ષા લીધી સ્વામી સ્વરૂપાનંદે નવ વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી દીધું હતું. જે પછી તેઓ કાશી પહોંચ્યા, ભારતના દરેક પ્રસિદ્ધ તીર્થસ્થાનો, સ્થળો અને સંતોની મુલાકાત લીધી. સ્વામી સ્વરૂપાનંદજીને ૧૯૫૦માં દાંડી સન્યાસી બનાવવામાં આવ્યા હતા. જ્યોતિમઠ પીઠના બ્રહ્માલિન શંકરાચાર્યએ સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સન્યાસની દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા. તેમને ૧૯૮૧માં શંકરાચાર્યની પદવી મળી હતી. ૧૯ વર્ષની વયે સ્વતંત્રતા સેનાની બન્યા ૧૯૪૨માં જ્યારે ભારત છોડો આંદોલનની જાહેરાત કરવામાં આવી ત્યારે સ્વામી સ્વરૂપાનંદ પણ આ આંદોલનમાં જાેડાયા હતા. ૧૯ વર્ષની ઉંમરે તેઓ ક્રાંતિકારી સાધુ તરીકે પ્રખ્યાત થયા. તેઓ વારાણસીમાં ૯ મહિના અને મધ્યપ્રદેશની જેલમાં ૬ મહિના સુધી કેદ રહ્યા હતા. રામમંદિરના નામે ઓફિસ બનાવવાનો આરોપ મૂક્યો હતો શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ જન્મભૂમિ ન્યાસના નામે વિહિપ અને ભાજપ ઉપર નિશાન સાધ્યા હતા. તેમને કહ્યું હતું અયોધ્યામાં મંદિરના નામે ભાજપ વિહિપ પોતાની ઓફિસ બનાવવા માંગે છે, જે અમને મંજૂર નથી. હિન્દુઓમાં શંકરાચાર્ય જ સર્વોચ્ચ હોય છે. હિન્દુઓની સુપ્રીમ કોર્ટ અમે જ છીએ. મંદિરનું એક ધાર્મિક રૂપ હોવું જાેઈએ, પરંતુ આ લોકો તેને રાજકીય સ્વરૂપ આપવા માગે છે, જે અમને લોકોને માન્ય નથી.

error: Content is protected !!