હાલના ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય વિઘાતક પરિવર્તનને રોકવા કાર્બન ઉત્સર્જન અને પ્રદુષણને અટકાવવા માટેના સુદ્રઢ આયોજન માટે વિશ્વ આખાની ભારત તરફ મીટ

0

હાલના ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય વિઘાતક પરિવર્તનને રોકવા કાર્બન ઉત્સર્જન અને પ્રદર્ષણને અટકાવવું જરૂરી છે. બિન પરંપરાગત ઉર્જાનું ઉત્પાદન આ પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ કદમ બની રહ્યું છે. જે અન્વયે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે પીજીવીસીએલ દ્વારા ૈ-ૐેહ્વ, જીેંજીઈઝ્ર, હ્લર્ષ્ઠિી શ્ હ્લઈડ્ઢજીસ્ૈંના સહયોગથી સોલાર સ્ટાર્ટઅપ ડેમો-ડેની ઉજવણી કરવામાં આવી હતી. દિપપ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા પી.જી.વી.સી.એલ.ના જાેઇન્ટ એમ.ડી. પ્રીતિબેન શર્માએ જણાવ્યું હતું કે, અત્યારે આપણો દેશ રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મેક ઈન ઈન્ડિયા”ના સ્વપ્નને સાકાર કરવા તથા પર્યાવરણ અને કલાયમેટ ચેન્જની સમસ્યાઓનો ઉકેલ લાવવા સોલાર એનર્જી ક્ષેત્રે નવા સંશોધનો કરવા અને આ ક્ષેત્રે વધુમાં વધુ ઉદ્યોગો સ્થાપવા જરૂરી છે. આ માટે તેઓએ ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જાેડાયેલા જીયુવીએનએલ, એમડી અને પીજીવીસીએલ, ચેરમેન જય પ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, સૌર અને બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ઉત્પાદન વધારવા નવા ઔદ્યોગિક સાહસિકોને પ્રોત્સાહિત કરવા જરૂરી છે. પર્યાવરણીય વિઘાતક પરિવર્તનને અટકાવવા માટેના સુદ્રઢ આયોજન માટે વિશ્વ આખું ભારત તરફ મીટ માંડી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્પષ્ટ કરતા ૈ-ૐેહ્વના પ્રોજેકટ હેડ જય જાેષીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ લોકોમાં ખર્ચાળ અને પરંપરાગત સ્ત્રોત દ્વારા ઉત્પાદિત વીજ ઉર્જાનાં ઉપયોગને ઘટાડીને બિનપરંપરાગત સ્ત્રોત અપનાવવા તથા સોલાર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે નવા ઉદ્યોગ સાહસીકોને પ્રોત્સાહિત કરવાનો છે. ભારત સરકાર અને આખું વિશ્વ ટકાઉ ગ્રીન એનર્જી સ્ત્રોતો શોધી રહી છે, ત્યારે સૌથી વધુ લોકપ્રિય અને ખર્ચ ઘટાડવા માટે અસરકારક રીતો પૈકીની એક છે શક્ય તેટલી સોલાર ઉર્જાનો ઉપયોગ કરવો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના “સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ૨.૦” પ્રોગ્રામ થકી ૩૫ વર્ષ સુધીના કોઈપણ એકેડેમિક કે નોન-એકેડેમિક વ્યક્તિ પોતાનો નવો સ્ટાર્ટઅપ ઉદ્યોગ શરૂ કરી શકે છે. રાજય સરકાર ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે સેતુ બનીને વિદ્યાર્થીઓને થિયરી સાથે પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. પીજીવીસીએલના ચિફ ઈજનેર રાજેશ વાળાએ સૌર ઉર્જા ઉત્પાદન અંગેની સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પી.એમ.કુસુમ યોજના, સુર્યા ગુજરાત, સ્કાય યોજના અને સોલાર પાવર પ્લાન્ટ વિષે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. સોલાર સિસ્ટમમાં આવતી મુશ્કેલીઓ, નવા સંશોધનો અને મુશ્કેલીઓના નિવારણ અંગે વિદ્યાર્થીઓને માહીતગાર કર્યા હતા. હાલ સોલાર ઉપકરણોમાં વપરાતા ૯૦% જેવાં પાર્ટ્‌સ માટે આપણે બીજા દેશો ઉપર ર્નિભર છીએ. આથી આ ક્ષેત્રે આર્ત્મનિભરતા તરફ આગળ વધવા માટે સોલાર ક્ષેત્રે નવા સ્ટાર્ટ અપ ખુબ જ જરૂરી છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને નવી સ્ટાર્ટ અપ કંપનીઓ દ્વારા સોલર ઉપકરણોના જુદાજુદા ૬ જેટલા સોલાર સ્ટાર્ટ અપ ડેમોનું ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું. જેમાં ખુબ જ નાના પાયે સંશોધન કરીને બનાવેલા નવા ઉપકરણો વિષે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ૈ-ૐેહ્વ, જીેંજીઈઝ્ર, હ્લર્ષ્ઠિી શ્ હ્લઈડ્ઢજીસ્ૈંના પ્રતિનિધીઓ દ્વારા પ્રેઝન્ટેશન આપી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં સોલારને લગતા નવા વિચારો તેમજ મુશ્કેલીઓ વિષે રજૂઆત કરવામાં આવી અને ઉપાયો વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પીજીવીસીએલના અધિકારીઓ જસ્મીન ગાંધી, કે.એસ. મલકાન તથા ફોર્સના પ્રમુખ રાજેશભાઈ જાેશી, અગ્રણી કિશોરસિહ ઝાલા, ડો. રંજન ખુંટ, હરિકૃષ્ણ પરીખ, ડી.વી. લાખાણી, નિલેશભાઈ પટેલ, નિહિત ડોબરીયા, પાર્થ સેજપાલ સહિત પીજીવીસીએલના ઇજનેરો, કર્મચારીઓ તથા યુનિવર્સિટીના પ્રોફેસરો અને ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!