ગિરગઢડા : ખિલાવડ ગામે વાડીના કૂવામાં પડીગયેલા સિંહને વનવિભાગે રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢયો

0

ગિરગઢડા તાલુકાના ખિલાવડ ગામની સીમમાં ગુંદલા જતા રોડપર નહેર પાસે આવેલ પોપટભાઈ જસમતભાઈ હિરપરાની વાડીના ધાબા ઉપર પાથડા સિંહોનું ગ્રૂપ બેઠું હતું. ત્યારે અંદાજીત ૬ વર્ષનો એક સિંહ અકસ્માતે કૂવામાં પડીગયેલ અને કુવાની એક ભેખડ ઉપર બેચી જતા બપોરે વાડીનો ભાગ્યો કુવા પાસેથી પસાર થતા કુવામાંથી સિંહનો અવાજ આવતા જાેતા ભેખડમાં એક સિંહ નજર આવતા તુરત વાડી માલિકને જાણ કરતા વાડી માલિકે સરપંચને જાણ કરતા સરપંચે જસાધાર રેન્જની કચેરીએ જાણ કરતા આર.એફ.ઓ. અને રેસ્કયુ ટીમનો ૧૫થી વધારેનો સ્ટાફ પાંજરૂ લઈ ઘટના સ્થળ ઉપર કૂવામાં દોરડું નાખી સિંહને બાંધી બહાર કાઢી સલામત રીતે પાંજરામાં પુરી જીવ બચાવ્યો હતો અને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડેલ છે.

error: Content is protected !!