બિલખા રાવતેશ્વર ધર્માલયમાં બ્રહ્મલીન મહંત પૂ. ગોપાલાનંદજી બાપુની ચોથી પૂણ્યતિથિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન

0

સમગ્ર ભારત વર્ષમાં જેમની સંતોનાં શિરમોર તરીકે ગણના થતી હતી એવા બ્રહ્મલીન મહંત પૂજય ગોપાલાનંદજી બાપુની આગામી તા. ૧૮-૯-રરના રોજ ચોથી પૂણ્યતિથિ હોય રાવતેશ્વર ધર્માલય ખાતે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાન પાંચ દિવસ સુધી ગાયત્રી યજ્ઞ કરવામાં આવી રહયા છે. બાદમાં
તા. ૧૭-૯-રરનાં રોજ સંતવાણીનાં ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે. જયારે તા. ૧૮-૯-રરનાં રોજ બપોરે સમુહ પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. હાલમાં પંચ અગ્ની અખાડાનાં સભાપતિ પરમ પૂજય શ્રી મુકતાનંદજી બાપુની પ્રેરણાથી અને પરમ પૂજય શ્રી સંપૂર્ણાનંદજી બાપુનાં અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહયું છે. આ ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભકતોને પધારવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!