કોડીનાર સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ અમુ બાપા જાનીનું ૧૦૦ વર્ષે અવસાન

0

કોડીનાર તાલુકા સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને છારીયા ઊને વાળ બ્રહ્મ સમાજના આજીવન પ્રમુખ એવા અમૃતલાલ જગજીવન જાની(ઉ.વ.૧૦૦)નું નિધન થયું છે. અમુ બાપાના હુલામણા નામથી જાણીતા એવા બાપાએ કોડીનાર નગરપાલિકાના પ્રમુખ, કોડીનાર નાગરિક સહકારી બેંકના પ્રમુખ, કોડીનાર કેળવણી મંડળના પ્રમુખ, કોડીનાર સોમનાથ મંદિર ટ્રસ્ટ સહિત અનેક સામાજિક ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન પુરૂ પાડ્યું હતું. અમુ બાપા કોડીનાર તાલુકાના સર્વ સમાજના રાહબર રહ્યા હતા. ગઈકાલે વહેલી સવારના તેમનું નિધન થયું હતું અને બપોરના ત્રણ કલાકે તેમના નિવાસસ્થાન માળી શેરી ખાતેથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં દરેક સમાજના લોકોએ પુષ્પાંજલિ આપી હતી અને મોટી સંખ્યામાં સ્મશાનયાત્રામાં જાેડાયા હતા. અમુબાપા જાની કોડીનાર બ્રહ્મ સમાજના આજીવન પ્રમુખ પદે રહ્યા હતા અને છેક સુધી કોડીનાર નાગરિક સહકારી બેંકનું પણ સુકાન સંભાળ્યું હતું તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે તારીખ ૧૯ને સોમવારના રોજ સાંજના ૯ કલાકે બ્રહ્મપુરી માળી શરી કોડીનાર ખાતે એક શોક સભા આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં કોડીનાર શહેરના તમામ જ્ઞાતિના લોકોએ ઉપસ્થિત રહ્યા હતા તેમ કોડીનાર ચેમ્બરના પ્રમુખ હરિભાઈ વિઠલાણીની યાદીમાં જણાવ્યું હતું.

error: Content is protected !!