ખંભાળિયાના બારા ગામેથી માતાના મઢ(કચ્છ) માટે પદયાત્રીઓને વિદાય : ૨૧ વર્ષથી પદયાત્રાની પરંપરા અવિરત

0

ખંભાળિયા તાલુકાના બારા ગામેથી વર્ષ ૨૦૦૧થી આશાપુરા મિત્ર મંડળ પદયાત્રા ગ્રુપ કે જેની શરૂઆત તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજાએ કરી હતી, આ પદયાત્રા તેમના દ્વારા અન્ય શ્રદ્ધાળુઓ સાથે છેલ્લા ૧૭ વર્ષથી અવિરત રીતે ચાલુ રાખવામાં આવી છે. માતાના મઢ(કચ્છ)ની આ પદયાત્રા ૨૦૦૧ થી ૨૦૨૨ સુધી એક પણ વર્ષ ખંડિત ન થતા આશાપુરા મિત્ર મંડળ પદયાત્રી ગ્રુપ તેમના સાથ-સહકારથી સતત ૨૧ વર્ષથી તેમનું ગ્રુપ તે યુવા મિત્રો ચલાવી રહ્યા છે. આ ટીમના કાર્યકરો સિધ્ધરાજ સિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, ચંદ્રેશ મથ્થર કાર્યરત છે. આ માટે સ્વયંસેવકો ડી.કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાઢેર, બ્રિજરાજસિંહ જાડેજા, અનોપસિંહ જાડેજા, સ્વ. ભરતસિંહ વાઘેલાની જહેમત નોંધનીય બની રહી છે.

error: Content is protected !!