શ્રી વિઠ્ઠલેશ યુવા પરીષદ શહેર સમીતી જૂનાગઢ દ્વારા વૈષ્ણવ વિદ્યાર્થી આર્શિવાદ સમારોહ યોજાયો

0

શ્રી વિઠ્ઠલેશ યુવા પરીષદ શહેર સમીતી જૂનાગઢ શાખા દ્વારા પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ વિદ્યાર્થી આર્શિવાદ સમારોહ કાર્યક્રમનું આયોજન તા. ૧૮-૯-રરનાં રોજ કરવામાં આવેલ હતું. શ્રી વિઠ્ઠલેશ યુવા પરીષદનાં ઉપાધ્યક્ષ શરદવલ્લભરાયજી મહારાજની આજ્ઞાથી તથા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢનાં સન્માનીય પ્રતિષ્ઠીત મહાનુભાવોનું સન્માન પણ આ તકે રાખવામાં આવેલ હતું. જેમાં ડોલરભાઈ કોટેચા કે જેઓ ચેરમેન ઓલ ઈન્ડીયા ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર કો. ઓપરેટીવ બેંક, ચેરમેન ગુજરાત સ્ટેટ એગ્રો કો. ઓપરેટીવ બેંક અને સહકારી ક્ષેત્રનાં અગ્રણી તરીકેની અમુલ્ય સેવાઓ આપી રહયા છે તેઓનું સન્માન સન્માન પત્ર આપી કરવામાં આવ્યું હતું. આ તકે પ્રદિપભાઈ ખીમાણીનું પણ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું. આ તકે ૬૦૦ વિદ્યાર્થીઓએ આર્શિવાદ સમારોહમાં આર્શિવાદ મેળવ્યા હતાં. આ તકે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, ગીરીશભાઈ કોટેચા પણ ખાસ ઉપસ્થિત રહયા હતાં.

error: Content is protected !!