માંગરોળનાં પીએસઆઈ પરમારની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી

0

માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.વી. પરમારની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો. આ વિદાય સમારંભમાં માળીયા પીએસઆઇ ચાવડા, માંગરોળ નવ નિયુક્ત પીએસઆઇ ભરતભાઈ માવદીયા સહિત પોલીસ સ્ટાફ અને માંગરોળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પીએસઆઇ ચાવડા દ્વારા નારીયેળ તથા પડો આપવામાં આવ્યો હતો. આગેવાનો દ્વારા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સાલ ઓઢાડી, પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી સન્માન આપી ભાવભેર વિદાય આપવામાં આવી હતી.

error: Content is protected !!