અમદાવાદ શહેરમાં જે ડીવીઝનનાં પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળતા પ્રદિપસિંહ જાડેજા

0

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ડીવાયએસપીઓની બદલી ગૃહ વિભાગનાં અધિક સચિવ નિખીલ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ ડીવાયએસપી તરીકે પોણા ચાર વર્ષ ફરજ બજાવી પ્રજામાં લોકપ્રિયતા મેળવનાર ઝાંબાઝ પોલીસ અધિકારી પ્રદિપસિંહ જાડેજાએ અનેક લોકોને અસામાજીક તત્વોની રંજાડમાંથી મુકિત અપાવેલ હતી. જેવા કે વ્યાજખોરોથી દાદાગીરીથી મકાન પચાવી પાડનાર માથાભારે તત્વો સામે કડક હાથે કામ લઈ અનેક સીનીયર સીટીઝનોને તેમજ આમ જનતાને મદદરૂપ થનાર ખરા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર સાર્થક કરનાર પ્રદિપસિંહ જાડેજાની બદલી થતાં જૂનાગઢની જનતાએ આંચકો અનુભવ્યો હતો. તા. ૧૭નાં રોજ તેઓની અમદાવાદ ખાતે બદલી થયાની લોકોને જાણ થતાં ડીવાયએસપી કચેરીએ તા. રપનાં રોજ તેઓ છુટા થયા ત્યાં સુધી લોકોએ લાઈન લગાડી ભાવવિભોર બની અને પ્રદિપસિંહ જાડેજાને ભાવભીની વિદાય આપી હતી અને સાથે શુભેચ્છા પણ પાઠવી હતી. પ્રદિપસિંહ જાડેજાએ ગઈકાલે અમદાવાદ શહેરમાં પોતાની ફરજ ઉપર હાજર થઈ કામગીરીનાં શ્રીગણેશ કર્યા હતાં.

error: Content is protected !!