કેન્દ્ર સરકારની ગુજરાતને એક વધુ મોટી ભેટ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનો થશે પૂર્નઃવિકાસ

0

ગઈકાલે દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ રેલવે સ્ટેશનના પૂર્નઃવિકાસના ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અમદાવાદ સાથે જ નવી દિલ્હી અને ઝ્રજીસ્‌, મુંબઈ રેલવે સ્ટેશનનો પણ પૂર્નઃવિકાસ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં અંદાજે રૂા.૧૦,૦૦૦ કરોડનું રોકાણ સામેલ છે. આમ, નવરાત્રિના આ દિવસો દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાતને બે મહત્વપૂર્ણ ટ્રેનની ભેટ મળવા જઇ રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આધુનિક સ્ટેશનના લીધે રેલવે મુસાફરીનો અનુભવ વધુ સુવિધાયુક્ત અને શાનદાર બનશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિષે વધુ માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિર મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરિત છે. આ સાથે જ, દિલ્હી રેલ્વે સ્ટેશન બસ, ઓટો અને મેટ્રો રેલ સેવાઓ સાથે ટ્રેન સેવાઓને એકીકૃત કરશે, જ્યારે મુંબઈના સીએસએમટી રેલવે સ્ટેશનના હેરિટેજ બિલ્ડીંગમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે, પરંતુ તેની આસપાસના વિસ્તારોના બિલ્ડીંગોને પૂર્નઃવિકસિત કરવામાં આવશે. રેલવે મંત્રીએ જણાવ્યું કે, નવી દિલ્હી, ઝ્રજીસ્‌ અને અમદાવાદ રેલ્વે સ્ટેશનોના પૂર્નઃવિકાસ માટેના ટેન્ડર આગામી ૧૦ દિવસમાં બહાર પાડવામાં આવશે. આ ૩ મુખ્ય સ્ટેશનો સહિત ૧૯૯ સ્ટેશનોના પૂર્નઃવિકાસનો કુલ ખર્ચ રૂા.૬૦,૦૦૦ કરોડ છે. આગામી ૨ થી ૩.૫ વર્ષના સમયગાળા દરમ્યાન અમદાવાદ રેલ્વે સ્ટેશન, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન અને મુંબઈ રેલવે સ્ટેશનનો પૂર્નઃવિકાસ કરવામાં આવશે. આ સ્ટેશનોના પૂર્નઃવિકાસમાં મોડ્યુલર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

error: Content is protected !!