મધુર સોશ્યલ ગ્રુપે ગાંધી જયંતિની ઉજવણી કરી

0

મધુર સોશ્યલ ગ્રુપ તથા કોમી એકતા ગૃપના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતી નિમિત્તે ગાંધી ચોક ખાતે ગાંધીજીને સૂતરની આટી પહેરાવી સાદગીથી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. બાપુએ ભારતને આઝાદી અપાવી અને દુનિયાને સત્યમેવ જયતેનો સંદેશો આપ્યો હતો. બાપુનું સત્ય, સાદગી અને ખાદીથી સ્વાવલંબી બનવાની ભાવના, માત્ર હવે કહેવા વાંચવા અને લખવા માટે જ રહી ગઈ છે. બાપુને સાચી રીતે અંજલી આપીને ગાંધી જયંતીની ઉજવણી સાર્થક કરવી હોય તો આપણે કાંઈ મોટો પહાડ ઉપાડવાનો નથી, બસ જીવનમાં દરેક વ્યક્તિ બાપુની જેમ સ્વચ્છતા અને સત્યને અપનાવે તો બાપુ કાયમ સજીવન જ છે.

error: Content is protected !!