આવતીકાલે દશેરાનું પાવન પર્વ

0

આસો સુદ દસમને બુધવાર તા. પ-૧૦-રરનાં દિવસે વિજયા દશમી એટલે કે દશેરા છે. દશેરા વર્ષનાં ચાર વણજાેયા મુર્હુતનાં દિવસોમાંથી એક દિવસ છે. (૧) ચૈત્ર સુદ એકમ (ર) અખાત્રીજ (૩) દશેરા (૪) બેસતું વર્ષ. આ ચાર દિવસોને વર્ષનાં વણજાેયા મુર્હુત દિવસ કહેવાય છે. તેમાં દશેરાનું મહત્વ ખાસ વધી જાય છે. દશેરાનાં દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે ચંદ્રબળ નક્ષત્ર રાશી ચોધડીયા જાેવાની જરૂર રહેતી નથી. દશેરાનો દિવસ વણજાેયા મુર્હુતનો હોવાથી આખો દિવસ શુભ છે. આ દિવસે નવી દુકાનનું ઉદઘાટન કરવું, ખાતમુર્હુત કરવું, ખરીદી કરવી, સોના ચાંદી, પુજાનો સામાન, લગ્નનો સામાનની ખરીદી કરવી. વાસ્તુ, નવચંડી કથા, ચંડીપાઠ તથા નવા મકાનમાં કળશ પધરાવવો શુભ અને ઉત્તમ છે. દરેક પ્રકારનાં શુભ કાર્યો કરવા આ દિવસે શુભ છે. અને નવુ વાહનની ખરીદી કરવી, જમીન મકાનની ખરીદી કરવી પણ શુભ રહેશે. ઉત્તમ ફળદાયક રહેશે. વિજય મુર્હુત બપોરે ર.૩૩ થી ૩.ર૦ સુધી છે. દશેરાનં દિવસે રામ ભગવાને રાવણને બપોરે અપરાહન કાળનાં વિજય મુર્હુતમાં માર્યો હતો. આ દિવસે પાંડવોએ વનવાસનાં તેરમાં વર્ષે શમી એટલે કે ખીજડાનાં વૃક્ષની બખોલમાં પોતાનાં હથીયાર છુપાવેલા તે મેળવી અને અર્જુને દશેરાનાં દિવસે વિજય ટંકાર કરેલો આથી દશેરાનાં દિવસે શમી એટલે કે ખીજડાનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે શસ્ત્રોનું લોકરક્ષા માટે દેવી સ્વરૂપે પૂજન કરવામાં આવે છે. દશેરાનાં દિવસે નવદુર્ગા માતાજીની છબી તથા કુળદેવી માતાજીની છબીને કંકુ, ચોખા કરી ફુલ અર્પણ કરી ત્યારબાદ સાંજનાં સમયે કુળદેવીનાં મંત્ર જપ કરવા. ૩, ૭ અથવા ૧૧ માળા કરવી. ત્યારબાદ માતાજીને પ્રાર્થનામાં પોતાની શુભ અને સાચી મનોકામના બોલાવી સિધ્ધિ આપશે. માતાજીની આરતીએ નૈવૈદ્ય અર્પણ કરવું. આ વર્ષે રીવાજ પ્રમાણે રવિવારે, મંગળવારે અને બુધવારે ગરબો પધરાવવાનો ન હોવાથી માતાજીનો ગરબો દશેરાનાં બદલે ગુરૂવારે અગીયારસનાં દિવસે સવારે ગરબો પધરાવવો શુભ રહેશે. ગરબો પધરાવવામાં પંચક દોષ ગણાતો નથી. ગુરૂવારે ગરબો પધરાવવાનાં મુર્હુત શુભ ૬.૪૧ થી ૮.૦૯, ચલ ૧૧.૦૬ થી ૧ર.૩પ અને લાભ ૧ર.૩પ થી ર.૦૩ સુધી છે.

error: Content is protected !!