પૂ. જેન્તીરામબાપા દશેરાએ લંડનનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

0

ધુનડાસત પુરાણધામ આશ્રમના સંત પૂ. જેન્તીરામબાપા આજથી ધર્મનાં પ્રચાર અને પ્રસાર અર્થે લંડન જવા રવાના થયા હતાં. મુંબઈનાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી પ્રસ્થાન કરી લંડન જવા રવાના થયા હતા. તેમની સાથે આ યાત્રામાં તેમનાં પુત્ર હિતેષભાઈ શીલુ જાેડાયા હતાં. જયાં રાજરાજેશ્વરી રાજેશજીગુરીજી તથા સેવકો દ્વારા ભાવભર્યુ સ્વાગત કરાશે. અને તેઓ ગુરૂજીનાં હેરો સ્થિત સિધ્ધાશ્રમ ખાતે રોકાણ કરશે. અને દશેરા નિમિત્તે આયોજીત ધર્મોત્સવમાં ઉપસ્થિત રહી આર્શિવચન આપશે.

error: Content is protected !!