માણાવદર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તાલુકાનું ભવ્ય પથ સંચલન અને શસ્ત્ર પૂજન યોજાયું

0

હિન્દુ નાગરિકોને દિશા આપવાનાં કામ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વ્યકિ નિર્માણનું કાર્ય કરે છે. વ્યકિત નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય સંઘનાં સ્વયંસેવકો દ્વારા થાય છે. દેશની વાસ્તવિક ઈતિહાસને સમજીને તે મુજબનું જીવન બનાવવું એ સમયની માંગ છે. કોઈ એક ભૂમિ માટો પોતાની પેઢી દર પેઢી પોતાનું જીવન વ્યાપન કરીને પોતાની માતા અને સર્વસ્વ માનવામાં આવે છે, તેવી એક સમાજને જાેવાની દ્રષ્ટિ તૈયાર થાય છે. જેને સંસ્કૃતિ કહેવાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના સને ૧૯રપમાં નાગપુર ખાતે વિજયા દશમીનાં પરમ પવિત્ર દિવસે ડો. હેડગેવારજી દ્વારા કરવામાં આવેલી. જે આજે સમગ્ર ભારત વર્ષ ઉપરાંત દુનિયાનાં ઘણા દેશોમાં કાર્યરત છે. રાષ્ટ્રને સમર્પિત અને સંસ્કૃતિની ભાવનાથી ઉજાગર એવા સ્વયંસેવકો દ્વારા માણાવદર શહેર અને તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અનેક ધાર્મિક અને સામાજીક સેવાકિય પ્રવૃતિઓ કરવામાં આવે છે. વિજયા દશમીનાં અવસરે તાલુકાનું પથ સંચલન અને શસ્ત્રપૂજનનો ભવ્ય ઉત્સવ યોજી હિન્દુ સંસ્કૃતિની પરંપરા અહર્નિશ રાખવામાં આવી હતી. સંઘનાં ર૦૦ જેટલા સ્વયંસેવકો સેનાનાં રણબંકાઓની જેમ ગણવેશમાં શહેનાં મુખ્ય માર્ગો ઉપર ઘોષવાદ્યાનાં લયબધ્ધ વાદન સાથે સંઘનાં ગુરૂ પ્રતિક એવા ભગવા ધ્વજને કેન્દ્રમાં ધારણ કરી કદમથી કદમ મિલાવીને ભવ્યાતિભવ્ય શૌર્ય સાથે સંચલનમાં જાેડાઈ હિન્દુ સંસ્કૃતિનું શોૈર્યનું પ્રદર્શન કર્યું હતું. શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં લોકો દ્વારા ભગવા ધ્વજ ઉપર આ સંચલન દરમ્યાન પુષ્પવર્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમનાં અંતે સંઘનાં જૂનાગઢ પ્રાંતનાં સંઘચાલક સામજીભાઈ દૂધાતે પ્રસંગોચિત્ત બૌધ્ધિક પ્રવચન આપેલ હતું.
આ સમગ્ર ઉત્સવને સફળ બનાવવા માટે માણાવદર તાલુકા સંઘચાલક ભાવેશભાઈ માકડીયા, તાલુકા કાર્યવાહ ગોવિંદભાઈ ડઢાણીયા, નગર કાર્યવાહ પંકજભાઈ બુટાણી તેમજ માણાવદરનાં તમામ સ્વયંસેવકોએ ખૂબ જહેમત ઉઠાવેલ હતી. આ તકે અનુપમ મિશન-માણાવદર કે જે એક સ્વામિનારાયણ સંપ્રદાયની ધાર્મિક અને સેવાભાવી સંસ્થા છે તેનાં પટાંગણમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થયેલ અને અનુપમ મિશન-માણાવદરનાં સાધકો દ્વારા તમામ વ્યવસ્થામાં ખૂબ સહકાર આપવામાં આવ્યો હતો.

error: Content is protected !!