ઘાંટવડ ગામે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે પ્રેમભારતીબાપુની ૧રમી પૂણ્યતિથિ આવતીકાલે યોજાશે

0

કોડીનાર નજીક ઘાંટવડ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે પૂ. બ્રહ્મલીન મહંત પ્રેમભારતીબાપુની ૧રમી પૂણ્યતિથિની ઉજવણી આવતીકાલે પૂ. ઈન્દ્રભારતીબાપુનાં સાંનિધ્યમાં કરવામાં આવનાર છે. પ્રતિ વર્ષ પૂ. પ્રેમભારતીબાપુની પૂણ્યતિથિ ઉત્સવ ઉજવવામાં આવશે. આજે શનિવારે રાત્રે ઘાંટવડ ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરેલ છે. જેમાં લક્ષ્મણ બારોટ, રામદાસ ગોંડલીયા, શૈલેષ મહારાજ, પરસોતમપુરી બાપુ, નારાયણ ઠાકર, બિરજુ બારોટ સહિતનાં કલાકારો જમાવટ કરશે. અને તા. ૯ રવિવારે શરદ પૂનમનાં દિવસે સવારે ૧૦.૧૦ કલાકે પૂ. બાપુની સમાધીનું પૂજન કરાશે. અને ૧૧.૩૦ કલાકે મહાપ્રસાદનંું આયોજન કરવામાં આવેલ છે. મહંત મહામંડલેશ્વર મુકતાનંદ ભારતીજી મહારાજ અને આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતીબાપુએ ભાવભર્યુ નિમંત્રણ પાઠવેલ છે.

error: Content is protected !!