સાળંગપુરધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ડ્રાયફ્રુટનાં વાઘાનો શણગાર કરાયો

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સોમવાર ૧૦-૧૦-૨૦૨૨ના રોજ પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ડ્રાયફ્રુટના વાઘાનો શણગાર કરવામાં આવેલ હતો. જેમાં દ્રાક્ષ, બદામ, એલચી, પીસ્તા વિગેરે ડ્રાયફ્રુટને આકર્ષક રીતે સજાવવામાં આવેલ હતા તથા પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવેલ હતી. ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

error: Content is protected !!