દ્વારકાધીશના જગત મંદિરમાં શરદ પૂર્ણિમા મહોત્સવની થયેલ ઉજવણી

0

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશનાં જગત મંદિરમાં શરદપૂર્ણિમાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. શરદપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે જગત મંદિરમાં કાળિયા ઠાકુરને વિશેષ શૃંગાર પરીધાન કરવામાં આવેલ હતો. તેમજ શરદોત્સવ સાથેનો કાર્યક્રમ યોજાયેલ. ઠાકોરજીને સફેદ વસ્ત્રોમાં વિવિધ અલંકારો સાથેનો ભવ્ય શૃંગાર પુજારી મહેશ્વરભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ હતો. સાંજે મહાઆરતી અને ભગવાનને મહાભોગમાં દૂધ-પૌઆનાં મહાપ્રસાદ ભાવિકોને આપવામાં આવેલ. રાત્રીનાં સમયે પુજારી પરીવાર તથા ભાવિકો દ્વારા ઓરકેસ્ટ્‌્રાનાં સથવારે ઠાકોરજીનાં સ્વરૂપ સાથે રાસોત્સવની રંગત માણેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પુજારી પરીવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

error: Content is protected !!