ખંભાળિયાના જલારામ મંદિરમાં મોટાણી પરિવાર દ્વારા વોટર કુલરનું અનુદાન

0

ખંભાળિયાના સુવિખ્યાત પુ. જલારામ બાપાના મંદિર સ્થિત અન્નક્ષેત્ર ખાતે અહીંના રઘુવંશી સદગૃહસ્થ ગીતાબેન હસુભાઈ મોટાણી (હ. હસુભાઈ તથા રમણીકભાઈ મોટાણી)ના આર્થિક સહયોગથી સ્વ. મથુરાદાસ નરસિંહદાસ મોટાણી તથા સ્વ. શાંતાબેન મથુરાદાસ મોટાણીના સ્મરણાર્થે વોટર કુલરનું અનુદાન આપવામાં આવ્યું છે. આ અર્પણ વિધિ પ્રસંગે જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ધીરેનભાઈ બદિયાણીએ દાતા પરિવારની ભાવનાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જલારામ મંદિરના પૂજારી રસિકભાઈ જાેશીએ જરૂરી વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં દાતા પરીવારના હસુભાઈ મોટાણી, રમણીકભાઈ મોટાણી અને દિલીપભાઈ જયેન્દ્રભાઈ મોટાણી ઉપસ્થિત રહ્યા હતા. જલારામ મંદિરના કારોબારી સદસ્ય મહેન્દ્રભાઈ કુંડલીયાએ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં પણ જલારામ મંદિરને સહકાર આપવા મોટાણી પરિવારે તત્પરતા દર્શાવી હતી.

error: Content is protected !!