જૂનાગઢનાં ડે. મેયર ગિરીશભાઈ કોટેચાની સેવાને બિરદાવતાં પૂ. મુકતાનંદબાપુ

0

જૂનાગઢનાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા દ્વારા છેલ્લા બે દાયકાથી પોતાનાં નિવાસ સ્થાને રપ૦ પ્રાચીન ગરબીઓની ર૦૦૦૦થી વધુ બાળાઓને જમાડી લ્હાણી પણ આપવામાં આવે છે. આ સેવાકીય કાર્યને બિરદાવવા સાધુ સમાજનાં પ્રમુખ પૂ. મુકતાનંદબાપુ ખાસ ઉપસ્થિત રહી આર્શીવચન આપેલ. પૂ. બાપુનું ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સ્વાગત ગીતાબેન કોટેચા, પાર્થ કોટેચા, ચાંદનીબેન કોટેચા સહિતનાંએ કરેલ હતું. બાદમાં મોટા ફુલહારથી અને બરછી આપી સન્માન કરેલ. તેમજ જૂનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ ઝાંઝડીયાનું ગિરીશભાઈ તથા પાર્થે શાલ ઓઢાડી સન્માનીત કરેલ. ઉપરાંત જૂનાગઢનાં બિલ્ડર અગ્રણી નિલેશભાઈ ઘુલેશીયા, રાજકોટનાં ઉદ્યોગપતિ બંકિમભાઈ મહેતા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, મધુર સોશ્યલ ગૃપનાં પ્રમુખ સલીમભાઈ ગુજરાતી સહિતનાનું ઉપવસ્ત્ર ઓઢાડી સન્માન કરાયું હતું. અને છેલ્લે બાળાઓએ ભોજન પ્રસાદ લીધેલ હતું. ગિરીશભાઈ કોટેચાની સેવાને તમામ લોકોએ બિરદાવી હતી.

error: Content is protected !!