માંગરોળનાં બસ સ્ટેશન સામે દેવીપૂજક યુવકની હત્યા આંતરીક પારિવારિક ડખ્ખામાં એકની હત્યા, બેથી વધુ ઘાયલ

0

ફરાર થઈ રહેલા હત્યાના પાંચેય આરોપીઓને ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડતા લેડી સિંઘમ પીએસઆઇ એસ.એ. સોલંકી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નવા બસ સ્ટેશન સામે ઝુપાડાઓ ઉભા કરી દેવીપૂજક લોકો રહે છે. ગઈકાલે સાંજના સમયે બે દેવીપૂજક પરિવાર વચ્ચે ઝઘડો થયેલ હતો. જેમાં સામ સામે બંને જુથ વચ્ચે ધીંગાણું સર્જાતા, એક બીજા સાથે છૂટા હાથે મારા મારી શરૂ થયેલ હતી. આ ડખ્ખામાં સાગર દેવસી પરમાર(ઉ.વ.૩૨) નામના દેવીપૂજક યુવકને સામે વાળા જુથમાથી પેટમાં છરી વડે હુમલો કરી પતાવીને દિધો હતો. મૃતકના પરિવારમાંથી એક દેવીપૂજક મહિલાના જણાવ્યા મુજબ સામે સાત થી આઠ લોકો હતા. જેઓ એવું કહેતા કે, આમને તો મારી જ નાખવો છે. એવું કહીને એક એ પેટમાં છરીના તેમજ બીજાએ ડીસમીસના ઘા મારીને પતાવી દીધો હતો.
હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પરંતુ માંગરોળ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એસ.વી. સોલંકીએ હત્યારાઓની શોધખોળ માટે તમામ રોડ ઉપર નાકાબંધી કરવામાં આવી હતી. એ દરમ્યાન હત્યારાઓ કેશોદ રોડ ઉપરથી ફરાર થઈ રહ્યા હોવાનું જાણવા મળતા જ પીએસઆઇ સોલંકીએ સિંઘમ ઢબે પીછો કરી ગણતરીની મિનિટોમાં જ કેશોદ રોડ બાલાગામના પાટીયા પાસેથી પિયાગો રિક્ષામાં જતા આરોપીઓને દબોચી લીધા હતા. હાલ તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ધિંગાણું અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા માંગરોળ પોલીસના મહિલા પીએસઆઇ એસ.એ. સોલંકી સઘન તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!