સંજરી સોશ્યલ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા ૧૩મી સમુહ શાદીનું આયોજન

0

આગામી રવિવારે ૧૧ સમુહ શાદીનો યોજાશે કાર્યક્રમ

જૂનાગઢની સેવાભાવી સંસ્થા સંજરી સોશ્યલ ટ્રસ્ટ દ્વારા સેવાકિય પ્રવૃતિ સતત કરવામાં આવી રહી છે તેમજ આ ટ્રસ્ટ દ્વારા સમુહ શાદીનાં આયોજનો પણ કરવામાં આવતા હોય છે. અત્યાર સુધીમાં ૧ર સમુહ શાદીનાં કાર્યક્રમો સફળ રીતે સંપન્ન કર્યા છે અને ૧૩મી સમુહ શાદીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢનાં મજેવડી દરવાજા, ગિરનાર રોડ, મહાસાગર ટ્રાવેલ્સ સામે, જંગલીશા પીર દરગાહ કમ્પાઉન્ડ, નવા સબસ્ટેશન સામે, જમાલવાડી, જૂનાગઢ ખાતે આગામી તા.૧૬-૧૦-ર૦રર રવિવારે સવારે ૯ કલાકે ૧૩મી સમુહ શાદીનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમનાં ઉદઘાટક તરીકે સૈયદ સાદાત જમાત જૂનાગઢનાં પ્રમુખ સૈયદ પરવેઝ એહમદબાપુ કાદરી તેમજ નગરપાલિકા જૂનાગઢનાં ઓકટ્રોય વિભાગનાં માજી ચેરમેન તેમજ મુસ્લિમ અગ્રણી જનાબ ઈબ્રાહીમભાઈ અ. રજકભાઈ કુરેશી રહેશે. જયારે મુખ્ય મહેમાન તરીકે વિવિધ ક્ષેત્રનાં અગ્રણી, આગેવાનો, મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. આજનાં મોંઘવારી ભર્યા યુગમાં નબળા વર્ગનાં ગરીબ અને પછાત લોકોને પોતાનાં દીકરા-દીકરીનાં લગ્ન કરવા ખૂબ જ કઠીન બની ગયા છે. સાથે સાથે સમાજમાં છવાયેલા કુરીવાજાે પણ દિન-પ્રતિદિન વધી રહ્યા છે તેવા સમયે સંજરી સોશ્યલ ટ્રસ્ટ દ્વારા નબળા વર્ગને મદદરૂપ બનવા અને કુરીવાજાેને તીલાજંલી આપવાનાં હેતુથી સમુહ શાદીનું આયોજન કરવામાં આવેલ છે અને ૧૧ યુગલની નિકાહ રાખવામાં આવેલ છે. આ સમુહ શાદીનાં કાર્યક્રમનું પ્રમુખ સ્થાન શેહઝાદએ હુઝુર અમીરે એહલે સુન્નત, પીરે તરીકત હઝરત અલ્લામાં ગુલઝાર અહમદ સાહબ નૂરી(સજ્જાદાહ નશીન ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ-જૂનાગઢ) શોભાવશે. તેમજ રશ્મે નિકાહ ખ્વાની મોૈલાના સૈયદ મંઝુર એહમોદ સાહબ નૂરી(ખતીબ વ ઈમામ ઃ હુરે ઈલાહી મસ્જીદ, ધારાગઢ દરવાજા, જૂનાગઢ) નિભાવશે. આ કાર્યક્રમમાં સાદાત તથા ઓલમાએ કિરામ પીરે તરીકત સૈયદ અસગરઅલી બાપુ રીફાકતી-જૂનાગઢ, પીરે તરીકત પરવેઝ બાપુ કાદરી(નાની હવેલી,જૂનાગઢ), સૈયદ અરશદ બાપુ કાદરી(સેજવાલા-જૂનાગઢ), સૈયદ એજાઝહુસેન ઈકબાલહુસેન ચિશ્તી-જૂનાગઢ, સૈયદ શાહીદ બાપુ સાહબ-જૂનાગઢ, હાફીઝ મો. શાહીલ સાહબ-જૂનાગઢ, જનાબ સૈયદ સજ્જાદહુસેનબાપુ બુખારી-જૂનાગઢ, સૈયદ મુન્નાબાપુ(દાતારવાળા)-જૂનાગઢ, સૈયદ અલીમીયા સાબીરમીયા કાદરી-જૂનાગઢ, સૈયદ ઈકબાલ બાપુ કાદરી(સાગર ટોલીકોમ), સૈયદ સમીરબાપુ કાદરી-જૂનાગઢ, સૈયદ તાહીરમીયા ઈબ્રાહીમમીયા મટારી-જૂનાગઢ, સૈયદ હમીદમીયા મટારી-જૂનાગઢ, સૈયદ મહંમદઅલી બાપુ કાદરી-જમાલવાડી, સૈયદ કાદરી બાપુ(ઉનાવાળા), મુફતી અ. મતીન સાહબ-જૂનાગઢ, મોૈલાના અલીમોહંમદ પલેજા સાહબ-જૂનાગઢ, મોૈલાના હાજી યાકુબ સિદ્દીકી સાહબ-જૂનાગઢ, મૌલાના જમીલ એહમદ સાહબ મુન્શી-જૂનાગઢ ઉપસ્થિત રહેશે અને આર્શીવાદ પાઠવશે. આ ઉપરાંત મુસ્લિમ સમાજનાં અગ્રણી, આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહેશે. જૂનાગઢ ખાતે આયોજીત થયેલ સમુહ શાદીનાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંજરી સોશ્યલ ટ્રસ્ટનાં પ્રમુખ અ. વહાબભાઈ અ. રજાકભાઈ કુરેશી તેમજ હનીફભાઈ અલારખભાઈ રાજસુમરા, નુશમહંમદભાઈ અ. રજાકભાઈ કુરેશી, અમરબીન સાલમભાઈ શેખ, અ. કાદરભાઈ નુરમહંમદભાઈ રાઠોડ, જાફરભાઈ તાજમહંમદભાઈ કુરેશી, અસલમભાઈ સુલતાનભાઈ શખે સહિતનાં કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!