પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ)માં કક્કડ પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

0

પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ)માં રહેતા અગ્રણી વેપારી સ્વ. ભગવાનજીભાઇ વલ્લભદાસ કક્કડ(ઉ.વ.૮૧) કે જેઓ નટુભાઇ, પ્રવીણભાઈ તથા વિનુભાઇના મોટાભાઈ તથા અસ્વિનભાઇ, પ્રકાશભાઇ તથા વિમલભાઈ તેમજ કીર્તિબેનના પિતા તા.૧૪-૧૦-૨૦૨૨ને શુક્રવાર, આસો વદ પાચમના રોજ દુઃખદ અવસાન થયેલ છે. આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો ર્નિણય કર્યો હતો. આથી તેઓએ ગોવિંદભાઇ વાળા(પીએચસી કર્મચારી-શીલ)નો સંપર્ક કર્યો અને તેઓ આ માનવતાના મહાકાર્યમાં હાજર થઈ ગયા અને મૃતકના બંને ચક્ષુ લેવામાં આવ્યા હતા. જે ચક્ષુનો સ્વિકાર શિવમ્‌ ચક્ષુદાનના કાર્યકર સચીનભાઈ જાેટવા અને દિવ્યેશભાઈ ઘેરવડા દ્વારા કરવામાં આવ્યો હતો અને અરશીભાઈ વાળા દ્વારા સ્વર્ગસ્થના બંને ચક્ષુ ડો. થાનકી આઈ હોસ્પિટલ વેરાવળ, જિ.ગીર-સોમનાથને પહોંચાડવામાં આવ્યાં છે. ચક્ષુદાન લેતી વખતે ધીરૂભાઈ નથવાણી અને રાજેશભાઈ રામાણી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પ્રતાપભાઈ પરમાર અને આનંદભાઈ તન્નાએ આ ચક્ષુદાન સમયે સાથ અને સહકાર આપ્યો હતો. આ ચક્ષુદાનમાં શિવમ ચક્ષુબેંક આરેણાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા પોરબંદર નેચર ક્લબના સાજણભાઈ ઓડેદરાનો સાથ અને સહકાર રહ્યો હતો તથા ડો. કામિલ મેમણ(સીએચસી માધવપુર-ઘેડ)નો પણ અમૂલ્ય સહયોગ રહ્યો હતો. કક્કડ પરિવારના આ મહાદાનને શિવમ્‌ ચક્ષુદાન આરેણા વંદન કરે છે. કક્કડ પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્‌ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને ભગવાનજીભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે. આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. કક્કડ પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્‌ ચક્ષુદાન ગૃપ-આરેણા, માંગરોળ જાયન્ટ્‌સ ગૃપ, વંદેમાતરમ્‌ ગૃપ-માંગરોળ, સ્વ. લક્ષમણભાઈ એ. નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ, સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ, શ્રી ડુગરગુરૂ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જૂનાગઢ, માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો, ઈન્ડિયન વુમન રાઈટ્‌સ એસોસિએશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.

error: Content is protected !!