ડોળી મંડળ એસોસિએશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવા તૈયારી

0

ડોળી મંડળ એસોસિએશન તથા સમસ્ત કોળી સમાજનાં પ્રમુખ રમેશભાઈ બાવળીયાએ જીલ્લા કલેકટરને એક પત્ર પાઠવ્યો છે અને વિનંતી કરી છે કે, ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૯-૧૦-ર૦રરનાં રોજ જૂનાગઢનાં આંગણે પધારવાના છે અને ગિરનાર દર્શન તથા અંબાજી માતાજીનાં પૂજા અંગેનો કાર્યક્રમ નિર્ધારીત થઈ રહ્યો છે. ત્યારે વર્ષોથી ગિરનાર ઉપર યાત્રાળુઓને ખંભે ઉચકીને તનતોડ મહેનત કરી મા અંબાનાં દર્શન કરાવતા ડોળી વાળા ભાઈઓ કે જે મોટાભાગનાં ઓબીસી સમાજનાં છે. તેઓની અંતરની ઈચ્છા છે કે, જૂનાગઢનાં મહેમાન બનનાર લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફૂલ નહી તો ફૂલની પાંખડી મુજબ તેઓનું અભિવાદન ફૂલહારથી તથા મોમેન્ટોથી કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાનનાં કાર્યક્રમ દરમ્યાન અમોને પણ સ્વાગત કરવા દેવા માટેની પરવાનગી આપવા અને સમય ફાળવવા પત્રનાં અંતે વિનંતી કરવામાં આવી છે.

error: Content is protected !!