ખંભાળિયામાં પુષ્ય નક્ષત્ર સંદર્ભે શહેરમાં ખરીદીનો ધમધમાટ : સોની વેપારીઓને નોંધપાત્ર ઘરાકી

0

આજરોજ મંગળવારે શુભ ગણાતા પુષ્ય નક્ષત્ર હોવાથી ખંભાળિયામાં સોની સહિતના વેપારીઓને ત્યાં નોંધપાત્ર ઘરાકી જાેવા મળી હતી. આજે આખો દિવસ અને રાત પુષ્ય નક્ષત્ર હોવાથી અનેક લોકો આ દિવસને શુભ માને છે. જેના અનુસંધાને સોના-ચાંદી સહિતની ચીજ વસ્તુઓ ખરીદવાનું અનન્ય મહત્વ હોય, શહેરની બજારમાં ઘરાકી જાેવા મળી હતી. ખાસ કરીને જ્વેલરના શોરૂમ તથા દુકાનોમાં લોકોએ જઈ અને સોના ચાંદીની ખરીદી કરી હતી. આજના શુભ દિવસે સુવર્ણ તથા ચાંદીની ખરીદી શુભ હોય, લોકોએ વધેલા ભાવ વચ્ચે પણ સોનાની નાની-મોટી ખરીદી કરી અને શુકન સાચવ્યા હતા. આટલું જ નહીં, વેપારીઓએ ચોપડા વિગેરેની ખરીદી કરી, આજના દિને આસ્થા વ્યક્ત કરી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં નવા ધંધાદારી એકમો પણ શરૂ થયા હતા. આમ, શુભકર્તા પુષ્ય નક્ષત્ર લોકોને ફરદાય નીવડે તે માટે વિવિધ પ્રકારે શુકન સાચવ્યા હતા.

error: Content is protected !!