શ્રી સોરઠીયા વાણંદ જ્ઞાતિ દ્વારા કેલેન્ડર બહાર પડાયું

0

જૂનાગઢ શ્રી સોરઠીયા વાણંદ જ્ઞાતિ દ્વારા નૂતન વર્ષ સબબ વાર્ષિક કેલેન્ડર બહાર પાડવામાં આવેલ હતું. જેમાં તમામ માહિતી પ્રદ આ કેલેન્ડરનું વિમોચન પ્રેરણા ધામના મહંત શ્રી લાલબાપુ તેમજ અંબાજી મંદિરનાં મોટા પીર બાવા શ્રી તનસુખ ગિરીબાપુનાં વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ તકે સોરઠીયા વાણંદ જ્ઞાતિનાં ટ્રસ્ટી ભીખુભાઇ રાઠોડ, પ્રમુખ બિપિનભાઈ ભટ્ટી, મંત્રી રાજુભાઈ ચુડાસમા, અમુભાઈ વાઢેર, વિજય ચુડાસમા, રાજુભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!