મોરબી ઝુલતા પુલ અકસ્માતમાં માણાવદરનાં યુવાનનું મૃત્યું

0

મોરબી ઝુલતા પુલ તુટવાનાં ગોઝારા બનાવે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ બનાવમાં માણાવદર શહેરનો નવયુવાન કમસીબે ભોગ બન્યો છે. જેનાથી પરીવાર ઉપર વજ્રઘાત સમાન બન્યું છે. માણાવદરનાં ચિરાગ કાનજીભાઈ ચૌહાણ (ઉ.વ. ર૭)એ આ ગોઝારા બનાવમાં જીવ ગુમાવ્યો છે. મૃતકનાં મૃતદેહ મળ્યો હતો જેમાં જેટકોનો આઈકાર્ડ હોય તેની જાણ થતાં મોરબીનાં જેટકોનાં અધિકારીઓ દોડી આવ્યા હતાં. ચિરાગે ૧૦ મહીના પહેલા જ પીજીવીસીએલની ભરતીમાં પરીક્ષા પાસ કરી જેટકોમાં પહેલા કચ્છ-ભુજ બાજુ નોકરી મળી બાદમાં મોરબી જેટકોમાં નોકરી કરતા હતાં. અને લોકોમાં સારી ચાહના ધરાવતાં હતાં.

error: Content is protected !!