રાજભવન ખાતે અતિથિભવન અને રાજભવન સ્ટાફ ક્વાટર્સના નવનિર્માણ કાર્યનો શુભારંભ કરાવતા રાજ્યપાલ

0

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે નિર્માણાધીન બેંકવેટ હોલ સાથેના અતિથિ ભવનના નિર્માણ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્યપાલે આ પ્રસંગે રાજભવન કર્મચારી વસાહત ખાતે સ્ટાફ ક્વાટર્સના નવનિર્માણ કાર્યનો પણ શુભારંભ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજભવન સ્ટાફ ક્વાટર્સનું નવનિર્માણ થઈ રહ્યું છે, જેમાં “ક” ટાઈપના ચાર અને “ઈ” ટાઇપના ચાર યુનિટ “ડી-૧” ટાઈપના ૨૪ અને “ચ” ટાઈપના ૯૬ યુનિટ તેમજ દુકાનો અને દવાખાનાનું બાંધકામ કરવામાં આવશે. લગભગ એક વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

error: Content is protected !!