જૂનાગઢનાં દામોદર કુંડ ખાતે મનપા દ્વારા પ્રાર્થના સભા યોજાઈ

0

જૂનાગઢ મનપા દ્વારા દામોદર કુંડ ખાતે આજે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. જેમાં વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, આગેવાનો, મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં. અને દિવંગતોનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી. તાજેતરમાં મોરબીની બનેલી દુર્ઘટનાથી સમગ્ર દેશમાં ભારે અરેરાટીની લાગણી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનાનાં હતભાગીઓનાં આત્માની શાંતિ માટે કાર્યક્રમો યોજાઈ રહયા છે ત્યારે દામોદર કુંડ ખાતે જૂનાગઢ મનપા દ્વારા પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. જેમાં મનપાનાં મેયર ગીતાબેન પરમાર, ડે. મેયર ગિરીશભાઈ કોટેચા, જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્મા તેમજ કમિશ્નર રાજેશ તન્ના ઉપરાંત વિવિધ ક્ષેત્રનાં અગ્રણી, આગેવાનો, શાખા અધિકારીઓ, કોર્પોરેટરો તેમજ ભવનાથ ગિરનાર ક્ષેત્રનાં વરીષ્ઠ સંતો પણ ખાસ ઉપસ્થિત રહયા હતાં. અને મોરબીની દુર્ઘટનાનાં હતભાગીઓનાં આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

error: Content is protected !!