મોરબી દુર્ઘટનાના હતભાગીઓને ખંભાળિયાવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલી અપાઈ

0

ખંભાળિયા નગરપાલિકા અને શહેર ભાજપ દ્વારા અહીંના યોગ કેન્દ્ર અને મ્યુ. ગાર્ડન ખાતે મોરબીમાં ઝૂલતા પુલની બનેલી દુર્ઘટનામાં મૃત્યું પામેલા દિવંગત લોકોના આત્માને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ સાથે એક શોકસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોકાંજલી કાર્યક્રમમાં ભાજપના આગેવાનો દ્વારા શાબ્દિક શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ સાથે સદગતના આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના કરી પુષ્પાંજલી અર્પણ કરીને બે મિનિટનું મૌન પાળી, શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ શ્રદ્ધાંજલિ સભામાં નગરપાલિકા સદસ્યો, શહેર ભાજપ ટીમ તમામ મોરચાના હોદેદારો, કાર્યકરો, આગેવાનો અને ઉપરાંત તમામ સામાજિક સંસ્થાઓના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!