પોરબંદર : શ્રી હરી મંદિરમાં તુલસી વિવાહ

0

પોરબંદરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિ મંદિરમાં તા.૪-૧૧-૨૦૨૨ શુક્રવારના રોજ પ્રબોધિની એકાદશીના પાવન દિવસે શાસ્ત્રોકત વિધિથી તુલસીવિવાહ સંપન્ન થશે. શ્રીહરિ મંદિરમાં સાંજે ૭ઃ૩૦ થી ૮ઃ૩૦ દરમ્યાન નારાયણ સ્વરૂપ શ્રીશાલીગ્રામજી સાથે લક્ષ્મી સ્વરૂપા શ્રીતુલસીજીના વિવાહ-સંસ્કાર શાસ્ત્રોકત વિધિ સાથે, શુભ મૂહૂર્તમાં ધામધૂમથી ઉજવાશે. વિવાહોત્સવના દર્શન અને આનંદનો લાભ લેવા માટે આપ સૌને નિમંત્રણ છે.

error: Content is protected !!