સાળંગપુર હનુમાનજી મંદિરે ફૂલોનાં શણગાર ધરાવાયો

0

શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે કારતક માસ પૂનમ મંગળવારે તા.૮-૧૧-૨૦૨૨ના રોજ દાદાને ફુલોનો દિવ્ય શણગાર ધરાવાયો હતો. આ પ્રસંગે સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ હતી. દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવેલ હતો. મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતું. દાદાના હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ હતો.

error: Content is protected !!