માંગરોળમાંથી મકાનમાંથી રૂા.૧,૮૧,૦૦૦નાં મુદ્દામાલની થયેલ ચોરી

0

માંગરોળનાં બંદર વિસ્તારમાં રહેતા વનિતાબેન લખમણભાઈ ગોસીયાએ અજાણ્યા ચોર ઈસમો સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીએ ફરિયાદીનાં ઘરનાં પાછળનાં દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલ લાકડાનાં કબાટનો દરવાજાે તોડી કબાટનાં અંદરનાં લોકરમાં રાખેલ રૂા.૩પ હજાર તેમજ સોનાની બુંટી નંગ-૧, સોનાનો કયડો નંગ-૧, સોનાની વિંટી, નાકનાં દાણા તેમજ સાહેદનાં સાચવવા રાખેલ સોનાનો ચેઈન, કાનની બુંટી, કાનની સોનાની સર, સુઈ-દોરા, સોનાની એક તોલાની જાેડી, સફેદ, ગોલ્ડન તથા સિલ્વર કલરની બુંટી, અડધા તોલાનાં જાેડી નંગ વિગેરે મળી કુલ રૂા.૧,૮૧,૦૦૦ હજારનાં મુદ્દામાલની ચોરી કરી ગયાનો બનાવ પોલીસમાં નોંધાવતા માંગરોળ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!