આધ્યાત્મિક ચેતનાને લોક સેવાની ચેતના સાથે જાેડીને બહુજન સુખાય બહુજન હિતાયનો મંત્ર ચરિતાર્થ કરવો છે ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

0

દ્વારકા કોરીડોરનું કાર્ય આગળ વધારવા સાથે પ્રવાસન અને તીર્થ સ્થાનોના સર્વગ્રાહી વિકાસની નેમ : મુખ્યમંત્રીશ્રી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરીને આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતના મંત્રને સાકાર કરીએ : દ્વારકા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે યોજાઇ રહેલા શ્રી લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આહુતિ આપી ધન્યતા અનુભવી

દ્વારકા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે યોજાઇ રહેલા શ્રી લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પધારતા દ્વારકાના હેલીપેડ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, કલેકટર એમ.એ પંડ્યા, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, અધિક નિવાસી કલેકટર ભૂપેષ જાેટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.આર. પરમાર, પ્રાંત અધિકારી દ્વારકા પાર્થ તલસાણીયા, સંત નરસિંહ દાસજી, જિલ્લા અગ્રણી મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેર, લુણાભા સુમણીયા સહિતના અગ્રણીઓ તથા અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ કલ્યાણ અર્થે યોજાયેલા નવ કુંડી મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં આપણે જી-૨૦ સમિટની યજમાની કરી રહ્યા છીએ. તેમાં પણ વસુધૈવ કુટુંબકમની થીમ રહેલી છે. આજ સમયે દ્વારકામાં વિશ્વ કલ્યાણ માટે મહાયજ્ઞ યોજાય રહ્યો છે તેમાં પણ બહુજન સુખાય બહુ જન હિતાય સહિત સર્વના કલ્યાણની ભાવના રહેલી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. સર્વના કલ્યાણની પ્રાર્થના એ આપણી ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે તેમ જણાવી આધ્યાત્મિક ચેતનાને સામાજિક અને લોક સેવાની ચેતના સાથે જાેડીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ સાથે આગળ વધવું છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનના દિશા દર્શનમાં આત્મા ર્નિભર ગુજરાતથી આત્મ ર્નિભર ભારતની નેમને સાકાર કરવા સાંસ્કૃતિક વિરાસતો ને ઉજાગર કરીને સંતો મહંતોના આશીર્વાદથી આપણે લોક કલ્યાણના કાર્યો કરવા છે. ભગવાન શ્રી દ્વારકાધીશના સાનિધ્યમાં દ્વારકા કોરિડોરની કામગીરીની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ ગુજરાતના તીર્થ અને પ્રવાસન સ્થળોના વિકાસમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું. આ તકે શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મહંત માધવાચાર્યજી મહારાજ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞના સંતશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અદેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તથા ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા ગુજરાત રાજ્ય ઉપર બની રહે તેવી પ્રાર્થના કરી હતી તેમજ મુખ્યમંત્રીએ પાદુકા પૂજન પણ કર્યું હતું. ઉપરાંત દ્વારકા હોટેલ એસોશીએશન, વેપારી એસોશીએશન, દ્વારકાધીશ મંદિર પૂજારી તેમજ બ્રહ્મ સમાજ, ચેમ્બર્સ ઓફ કોમર્સ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોશીએશન દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા મહંત નરસિંહદાસજી મહારાજ – ધ્રોલ, જગતગુરૂ મહંત અયોધ્યાચાર્યજી મહારાજ હરિદ્વાર, મહંત ૧૦૦૮ દિલીપદાસજી મહારાજ, અમદાવાદ સહિતના મહંતઓ, કલેકટર એમ.એ.પંડ્યા અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!