મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ૫૦૦ કિલો લાલ બટાકાનો દિવ્યશણગાર

0

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મંગળવાર નિમિત્તે તા.૧૪-૩-૨૦૨૩ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા ૭ કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ હતી. દાદાના સિંહાસનને ૫૦૦ કિલો લાલ બટાકાનો દિવ્ય શણગાર કરવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

error: Content is protected !!