વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળનું સુંદર આયોજન હિન્દુ ધર્મના ભેખધારી કાજલબેન હિન્દુસ્થાનીનો ખંભાળિયામાં રવિવારે જાહેર કાર્યક્રમ

0

ભવ્ય રોડ શો બાદ ધર્મસભામાં ચોટદાર વક્તવ્ય રજૂ કરશે

ખંભાળિયામાં આગામી રવિવાર તારીખ ૨૬ માર્ચના રોજ અહીંની જાણીતી હિન્દુ સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના ઉપક્રમે રોડ શો તથા જાહેર ધર્મસભાના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રસંગે દેશના પ્રખર વક્તા કાજલબેન હિન્દુસ્થાની (શિંગાળા) ખાસ ઉપસ્થિત રહેશે. વર્તમાન સમયમાં હિન્દુ ધર્મની રક્ષા, માતૃભૂમિ તથા અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા રાષ્ટ્રહિતના હેતુથી ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના ઉપક્રમે જાણીતા હિંદુત્વવાદી કાજલબેન હિન્દુસ્થાની (શિંગાળા) ના રેલી તથા વક્તવ્યના કાર્યક્રમમાં આગામી રવિવાર તારીખ ૨૬ ના રોજ બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી અત્રે મિલન ચાર રસ્તાથી ભવ્ય રોડ શો(રેલી)નું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં વાહનો સાથે હિન્દુત્વવાદી લોકો આ રેલીમાં જાેડાશે. જે જુદા જુદા માર્ગો ઉપર ફરી અને સાંજે ૫ વાગ્યે અત્રે નગર ગેઈટ પાસે આવેલા મ્યુનિસિપલ ગાર્ડન ખાતે પૂર્ણ થશે. ત્યાં આ ભવ્ય રહેલી જાહેર ધર્મસભામાં પરિવર્તિત થશે. આ અંગેની વિગત આપતા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કિરણબેન સરપદડીયાએ જણાવ્યું હતું કે આ રોડ શો તથા ધર્મસભામાં રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, લવ તથા કુશના પરિવેશ ધારણ કરી, ખાસ શણગારેલા ટ્રેક્ટરમાં આ તમામ છ વ્યક્તિઓ સમગ્ર કાર્યક્રમમાં સાથે રહેશે. અત્રે મ્યુનિસિપલ ગાર્ડન ખાતે ખૂબ મોટી સંખ્યામાં જનમેદની જાેડાય અને વક્તવ્યમાં લોકો સહભાગી થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર આયોજન માટે મિલનભાઈ વારીયા, પપ્પુભાઈ જાેશી, દેશુરભાઈ ધમા, અજયભાઈ નરા, વિજયભાઈ કટારીયા, મિત સવજાણી સહિતના કાર્યકરોની ટીમ ખભેખભા મિલાવીને ઉઠાવી રહી છે.

error: Content is protected !!